• Home
  • દેશ-વિદેશ
  • ગુજરાત
  • રાજકારણ
  • બિઝનેસ
  • ધાર્મિક અને જ્યોતિષ
  • હેલ્થ
  • ક્ષણિક દુનિયા
  • એન્ટરટેઇનમેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટસ
  • યોજના-ભરતી
  • More..
  • facebook
  • instagram
  • twitter
  • Youtube
  • Home
  • ગુજરાત
  • મુખ્યમંત્રીશ્રી અમને ન્યાય ક્યારે મળશે? રાજકોટ અગ્નીકાંડના પીડિતોની CM ભૂપેન્દ્ર પટેલ પાસે એક જ માંગ | TRP Game Zone Tragedy

મુખ્યમંત્રીશ્રી અમને ન્યાય ક્યારે મળશે? રાજકોટ અગ્નીકાંડના પીડિતોની CM ભૂપેન્દ્ર પટેલ પાસે એક જ માંગ | TRP Game Zone Tragedy

05:53 PM July 10, 2024 gujjunewschannel.in Share on WhatsApp



રાજકોટ TRP ગેમઝોન અગ્નિકાંડના પીડિત પરિવારોએ ગાંધીનગરમાં મુખ્યપ્રધાનના નિવાસસ્થાને CM ભૂપેન્દ્ર પટેલ સાથે મુલાકાત કરી હતી. અને પોતાના સ્નેહીજનોના ન્યાય માટે રજૂઆત કરી હતી. આ બેઠકમાં ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવી અને મંત્રી ભાનુબેન બાબરીયા હાજર રહ્યા હતા. પીડિત પરિવારોએ CM ભૂપેન્દ્ર પટેલ સામે વહેલી તકે ન્યાય આપવા રજૂઆત કરી. જણાવી દઈએ કે Rajkot TRP Game Zone Tragedy મામલે હવે એક બાદ એક મોટી કાર્યવાહી કરવામાં આવી રહી છે. હાલ આ કેસ હાઈકોર્ટમાં છે અને મુખ્ય આરોપી મનસુખ સાગઠીયાને જેલ હવાલે કરી દેવામાં આવ્યો છે. 

મુખ્યમંત્રીશ્રી અમને ન્યાય ક્યારે મળશે? રાજકોટ અગ્નીકાંડના પીડિતોની CM ભૂપેન્દ્ર પટેલ પાસે એક જ માંગ | TRP Game Zone Tragedy - rajkot-trp-game-zone-tragedy-victims-families-meets-cm-bhupendra-patel-request-for-justice

જો કે રાજકોટ અગ્નિકાંડ કાંડ મુદ્દે હાલ રાજ્યનું રાજકારણ પણ ગરમાયું છે. રાહુલ ગાંધીએ અગ્નિકાંડના પીડિત પરિવારો સાથે એક વાર વીડિયો કૉલ કરીને વાતચીત કરી હતી, જયારે ગયા અઠવાડિયે પોતાની ગુજરાત મુલાકાત દરમિયાન રાહુલ ગાંધી સાથે પણ રાજકોટ TRP ગેમઝોન અગ્નિકાંડના પીડિત પરિવારોએ મુલાકાત કરી હતી. જેને લઈને હવે રાજ્ય સરકાર પણ સચેત થઈ ગઈ છે.

► પીડિત પરિવારોએ મુખ્યમંત્રી સમક્ષ 12 મુદ્દા મુક્યા

આજે કેબિનેટ મંત્રી ભાનુબેન બાબરીયાની આગેવાની હેઠળ અગ્નિકાંડના પીડિત પરિવારો ગાંધીનગર પહોંચ્યા અને મુખ્યમંત્રી સાથે મુલાકાત કરી. પીડિત પરિવારોએ મુખ્યમંત્રી સામે પીડિતોને વહેલી તકે ન્યાય અપાવવા રજૂઆત કરી. પીડિત પરિવારના સભ્ય તુષાર ઘોરેચાએ જણાવ્યું હતું કે અમે મુખ્યમંત્રી સમક્ષ 12 મુદ્દા મુક્યા છે, 2 સુપ્રીમ કોર્ટના નિવૃત્ત જસ્ટીસ, એક ગુજરાત હાઈકોર્ટના નિવૃત્ત જસ્ટીસ તથા હાઈકોર્ટના ચાલુ જસ્ટીસ અને સિવિલ જજની કમિટી બનાવે અને જવાબદારો સામે કડક કાર્યવાહીની માંગ કરી હતી.

► રાજકોટ TRP ગેમઝોન અગ્નિકાંડનો કેસ ક્યાં પહોંચ્યો?

રાજકોટ TRP ગેમઝોન અગ્નિકાંડ મામલે હવે એક બાદ એક મોટી કાર્યવાહી કરવામાં આવી રહી છે. જણાવી દઈએ કે 25 મે 2024ના રોજ રાજકોટમાં TRP ગેમઝોનમાં આગ લાગી હતી, જેમાં 33 લોકો હોમાઈ ગયા હતા. આ પછી સરકારે આ કેસની તપાસ માટે SITની રચના કરી અને તપાસ તેજ કરીને આ કેસમાં જવાબદાર લોકો સામે જરૂરી પગલાં લઈને કાર્યવાહી કરી છે. હાલ આ કેસ હાઈકોર્ટમાં છે અને મુખ્ય આરોપી મનસુખ સાગઠીયાને જેલ હવાલે કરી દેવામાં આવ્યો છે.


Gujju News Channel | Latest Gujarati News Samachar and Daily Breaking News - Gujarat News, ગુજરાતી સમાચાર, આજના તાજા સમાચાર...Gujju News Channel | Latest Gujarati News Samachar On TwitterGujju News Channel | Latest Gujarati News Samachar On FacebookGujju News Channel | Latest Gujarati News Samachar On InstagramFollow Us On google News Gujju News Channeljoin telegram channel for Gujju News Channel | Latest Gujarati News Samachar

Home Page- gujju news channel - Latest Gujarati News, તાજા ગુજરાતી સમાચાર, Latest Gujarati News LIVE, Online Gujarati News, Gujarati news headlines today, Gujarati News Channel - મુખ્યમંત્રીશ્રી અમને ન્યાય ક્યારે મળશે? રાજકોટ અગ્નીકાંડના પીડિતોની CM ભૂપેન્દ્ર પટેલ પાસે એક જ માંગ | TRP Game Zone Tragedy - rajkot-trp-game-zone-tragedy-victims-families-meets-cm-bhupendra-patel-request-for-justice



Tags Category

  • દેશ-વિદેશ
  • ગુજરાત
  • રાજકારણ
  • બિઝનેસ
  • ધાર્મિક અને જ્યોતિષ
  • હેલ્થ
  • ક્ષણિક દુનિયા
  • એન્ટરટેઇનમેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટસ
  • યોજના-ભરતી

Popular Post

શું લો બ્લડ પ્રેશર કોઈના મૃત્યુનું કારણ બની શકે? શેફાલી જરીવાલાને હતી આ તકલીફ

  • 30-06-2025
  • Gujju News Channel
  • આજનું રાશિફળ, 1 જુલાઈ 2025 : જાણો આજનો મંગળવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 30-06-2025
    • Gujju News Channel
  • આગામી પાંચ દિવસ ગુજરાત માટે ભારે વરસાદની આગાહી, લોકોને સતર્ક રહેવા અપીલ
    • 29-06-2025
    • Gujju News Channel
  • આજનું રાશિફળ, 30 જુન 2025 : જાણો આજનો રવિવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 29-06-2025
    • Gujju News Channel
  • અંતરિક્ષમાં ગયેલા શુભાંશુ શુક્લા સાથે PM મોદીની ખાસ વાતચીત: કહ્યું, "અંતરિક્ષમાં ગાજરનો હલવો લઈ ગયા, તો તમારા સાથીઓને ખવડાવ્યો?"
    • 28-06-2025
    • Gujju News Channel
  • આજનું રાશિફળ, 29 જુન 2025 : જાણો આજનો રવિવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 28-06-2025
    • Gujju News Channel
  • અમદાવાદ રથયાત્રામાં હાથી બેકાબૂ કેમ થયા? ઝૂ સુપ્રિન્ટેન્ડેન્ટે જણાવ્યા કારણ
    • 27-06-2025
    • Gujju News Channel
  • આજનું રાશિફળ, 28 જુન 2025 : જાણો આજનો શનિવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 27-06-2025
    • Gujju News Channel
  • Puri Jagannath Rath Yatra 2025: ભગવાન જગન્નાથ રથયાત્રા 12 દિવસનો ઉત્સવ, જાણો રુટ સહિત તમામ વિગત
    • 26-06-2025
    • Gujju News Channel
  • અષાઢી બીજનો દિવસ આપના માટે કેવો રહેશે ? જાણો આજનું રાશિ ભવિષ્ય | 27 જુન 2025 : Aaj Nu Rashifal
    • 26-06-2025
    • Gujju News Channel

Copyright © GujjuNews All rights reserved.

  • Privacy Policy
  • Disclaimer
  • Get In Touch
  • Cookie Policy
  • Contact Us